બુધવાર, 9 મે, 2018

શાળા એ વિદ્યાનું મંદિર છે. જ્યાં શિક્ષણ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે.વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરે અને વ્યક્તિના જીવનમાં  જરૂરી એવા જીવન કૌશલ્યો,વલણો વગેરેનો વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આજે અનિવાર્ય બની ચૂક્યું છે.આ લક્ષ્ય પ્રાપ્તિ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.
                          શાળાના કર્તવ્ય પરાયણ શિક્ષકો દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ,ઈતર પ્રવૃત્તિઓ,ઉત્સવ ઉજવણી તેમજ રમત-ગમતના કાર્યક્રમો કરવામાં આવે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો સર્વોગી વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સાચા માનવીનું નિર્માણ કરવા માટે તેને પ્રેમ અને સહાનુભૂતિથી વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો